Sunday, October 13, 2019

બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર

ગુજરાતી ભાષા ભવન, આશ્રમ રોડ અમદાવાદ ઓક્ટોબર ૧૩, ૨૦૧૯

આજ રોજ બહુજન સાહિત્યના અનુવાદના સંદર્ભમાં એક નાનકડા સેમિનાર બોપોરે ૨:૩૦ થી ૫:૩૦ સુધી યોજવામાં આવ્યો. આ સેમિનારમાં મુખ્ય વક્તાઓ તરીકે યશવંત વાઘેલા, ડો. પી. જી. જ્યોતિકર, મુળજીભાઈ ખુમાણ અને રાજુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા. આ સેમિનાર નો હેતુ વિશેષ તો આંબેડકરના વિચારોના ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદ અને તેમાં રહેલી ક્ષતિ ઉપર ધ્યાન દોરવાનું હતું. આ ઉપરાંત  સેમિનારમાં આંબેડકર દ્વારા લખાયેલા પુસ્તકોનો નવેસરથી અનુવાદ કરવાનું સૂચન પ્રસ્તુત કરવામાં આવ્યું.
            પ્રસ્તુત વિષયના સંદર્ભમાં શ્રી યશવંત વાઘેલાએ અનુવાદની પાયાની માહિતી આપવાનો પ્રયાસ કર્યો. તેઓએ અનુવાદ એટલે શું? અનુવાદમાં ભાષાનું મહત્વ, સંસ્કૃતિ નું મહત્વ,અનુવાદના પ્રકારો જેમકે ભાવાનુવાદ, શબ્દાનુવાદ, રૂપાંતરણ, છાયાનુવાદ વગેરે વિશે ચર્ચા કરી.
               ડો. પી. જી. જ્યોતિકરે આંબેડકર ઉપર ગુજરાતી ભાષામાં લખાયેલ પુસ્તકોમાં રહેલી કચાસ માટે ગુજરાતના દલિતોમાં વાંચનની ખામીને જવાબદાર ગણાવી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થઈ ગયેલ દલિત આગેવાનો ઉપર પણ સંશોધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
                શ્રી રાજુભાઇ સોલંકીએ ૧૯૯૫ના દાયકામાં આંબેડકરના વિચારોના અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે આ પ્રકારના નિમ્ન કક્ષાના અનુવાદ વાંચીને ઘણા લોકોને આંબેડકરની લખવાની શૈલી પર પ્રશ્ન ઉભો થાય છે. રાજુભાઇ એ વિશેષમાં જણાવ્યું કે આંબેડકરનું લખાણ વિક્ટોરિયન યુગનું છે જેમાં એક વાક્ય એક ફકરા જેટલું લાંબુ અને જટિલ હોય છે. તેમણે દલિતોમાં અંગ્રેજી ભાષાના મર્યાદિત જ્ઞાન વિશે ખેદ વ્યક્ત કર્યો.



               

Writing Guide

Saturday, October 12, 2019

ભારતીય ભાષા અભિમુખતા

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ઓક્ટોબર ૧૨, ૨૦૧૯ સવારે ૯ વાગ્યે અહિંસા ભવનમાં ભારતિય ભાષા સંસ્કૃતિ સંસ્થાન દ્વારા ભાષા અભીમુખતા કાર્યક્રમ યોજાયો. ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ માં ભાષાઓ શીખવવાનું કાર્ય કરે છે. જેમાં ભારતીય અને વિદેશી બંને પ્રકારની ભાષાઓ શીખવામાં આવે છે. વિદેશી ભાષામાં સ્પેનિશ, ફ્રેન્ચ, પરશિયન, અરબી, જર્મન વગેરે સમાવેશ થાય છે. સ્વદેશી ભાષાઓમાં હિંદી, ગુજરાતી, સંસ્કૃત, ઉર્દૂ, પંજાબી વગેરે ભાષાઓને આવરી લેવામાં આવી છે. આમ ભારતિય ભાષા સંસ્કૃતિ સંસ્થાન, ગુજરાત વિદ્યાપીઠમાં ઘણા વરસોથી ભાષાઓની સેવામાં કાર્યનીષ્ઠ છે.
ભાષા શીખવા માટે અહી બોલવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ પ્રસંગે સંસ્કૃતના અધ્યાપક, મિહિરભાઈ એ જણાવ્યું કે સંસ્કૃતમાં ભાષાની વ્યાખ્યા છે 'જે બોલાતી હોય તેને ભાષા',અને તેથી જ તો ભારતીય ભાષા ભવનમાં 'ડાયરેક્ટ' મેથડથી ભાષાઓ શીખવવામાં આવે છે.
          અંજના બેન આ ભાષા સંસ્થાનમાં હિંદી અને અંગ્રેજી શીખવે છે. તેમણે ભાષા શીખવા માટે જે તે ભાષાની સંસ્કૃતિ ને સમજવા પર ભાર મૂક્યો.
          સલમાબેન અહી પર્શિયન, અરબી અને ઉર્દૂ ભાષા શીખવાડે છે. ગાંધીજી ને યાદ કરતાં તેમને કહ્યું કે ભાષા શીખવા માટે જસ્બાતની જરૂર છે.
      

Friday, October 11, 2019

Second Edition Media Award

Truth is bitter so are the journalists who endeavour sincerely to convey right information for society.  While doing their jobs journalists oftentimes face critique, loss of jobs and even threats to life. It is therefore the responsibility of society to at least acknowledge and appreciate the brave job of journalists.
                                  To honour the impressive works of the journalists, Media Welfare Trust organized the second edition of 'Gujarat Media Award', on October 11, 2019 at Padit DinDayal Upadhyay Auditorium, SG Highway Ahmedabad.  Devendrabhai Patel, Sonalben Pandya, Dhwanit, Shahbuddin Rathod, Jayantibhai Dave, Tusharbhai Sukla, Chandrakant Mehta, Gopinath Gopalan, Parijat Patel were the chief attraction of the program. Following is the list of awardees with the categories of awards.

1 Best photography:                Bhati M
2 Best entertainment story:     Amit Radia
3 Best business story:             Sanjay Tank
4 Best effective story:             Pranav Golvankar
5 Best Crime Story:                Manoj Agrawat.
6 Best political story:             Chintan Raval
7 Best education story:           Anirudhsinh Paramar
8 Best regional story:             Bhavinbhai Vora
9 Best Health Story:              Manisha Sarma
10 Best life style story:          Meera Trivedi
11 Best Inspiration Story :      Sagar Patel
12 The best columnist:            Lalit Khambhaita
13 Best RJ award:                   Dhvnit Thaker
14 Best anchor male:               Devang Bhatt
15 Best anchor female:            Devansi Joshi
16 Best sport story:                  Tushar Trivedi
17 Best investigative story:      Siddhi Vyas
18 Best web story:                    Jignesh Koteja
19 Award to Ajaybhai Umat
20 Best positive story:              Jwalant Chhaya
21 Lifetime achievement award: Jayantibhai Dave 

                           On this pious occasion, Senior journalist and author Devendra Patel said that media   need protection of society and journalism is no glamorous job, it is profession of daring. Journalists   must endeavour to bring back the smile upon the faces which have become the victims of injustice     in society. Jayntibhai Dave, the winner of lifetime achievement award expressed his concerns about   present day journalism which according to him, has become complacent to a significant extent.

 The audience was entertained with jokes by Shahbuddin Rathod; renowned dance choreographer   Kush Banker presented dance on Ganesh Stuti and some bollywood songs.       







                                   









Walter Lippman

Wednesday, October 09, 2019

કેક બગાડવાનો નવો રિવાજ



જન્મદિવસના રોજ એક સમજુ વ્યક્તિ જીવનમાં કંઇક નવું કાર્ય કરવાની સંકલ્પના સાથે ઉજવણી કરે છે. આ નવું કાર્ય વ્યક્તિ વિકાસ, કુટુંબ સુમેળ કે સમાજ હિત પૈકીનું કંઈ પણ હોઈ શકે. જન્મદિવસની ઉજવણી આટલા વરસોથી તમારો ભાર સહન કરી રહેલી પૃથ્વી માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અનેરો મોકો બની શકે. પણ કહે છે ને કે માણસો એ જ્યારથી વૃક્ષોની ડાળીઓ છોડી ને નીચે રેહવાનુ પસંદ કર્યું ત્યારથી આ બધી સમસ્યાઓ સર્જાઈ છે. ખબર નઈ આ જન્મદિવસની ઉજવણી એ કેક બગાડવાનો રિવાજ કયા મફતિયા એ શરુ કર્યો હશે? આજકાલ મફતિયા મનોરંજનથી માનસિક શાંતિ મેળવવાની સ્પર્ધા જામી છે. આ મફત મનોરંજન મંડળીનું સભ્યપદ બઉ સસ્તું છે. ફક્ત તમારા જન્મદિવસે જ તમારે પૈસા ઢીલા કરવા પડે. આ સભામાં જઈ ને વાનરો જેવી હરકત કરવાથી તમને બીજી પાર્ટીના પાસ તરત મળી જાય. અમુક તો એવા પણ હોય છે જે આખું વરસ આવી મફતની મહેફિલ માં જ કારકિર્દી બનાવતા હોય છે.
મહાત્મા ગાંધીજી એ કરકસરયુક્ત જીવન જીવવાના આગ્રહી હતા અને પૃથ્વી ઉપર ના તમામ ને જરૂર પૂરતું મળી રહે એ હેતુ થી તેમને આ પ્રકારના વિચાર ને સમાજ માં સ્થાપિત કરવાનો પ્રયાસ કરેલો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઉદ્દેશ્ય આ પ્રકારના વિચારને સમાજના છેવાડાના માણસ સુધી લઇ જવા માટે કાર્ય કરવાનો હતો.

મચ્છરલાલ

There perhaps will come a day when all humans may have left the word by either getting perished or getting settled on another planets; What will then these mosquitoes do without their beloved? 

Tuesday, October 08, 2019

Trees and Mumbai Metro

Of late Mumbai Metro Rail Corporation Limited (MMRCL) has invited attention of thousands of people for removing 2,141 trees in a portion of land for the construction of a Metro Rail car shed. The act acts as a shock especially at a time when the Amazon fire has not yet been totally extinguished from the memories of global humans, and; "You have stolen my dreams and childhood with your empty words"-of Greta Thunberg at the UN climate action summit, New York- still resonate in ears. But these appeals from Greta seem to have fallen deaf to the ears of  MMRLC.
             Aarey Colony is home for some of the oldest trees of Mumbai city where the ruthless rail project has performed mass lynching. Some trees were hundred years old.
            Appearing before the special bench of chief justices of Supreme Court on October 7, the Maharashtra government told that required cutting of trees is already over. But the state is concerned for the environment and to reduce the damage to the environment, the government of Maharashtra plans to raise approximately 25,000 trees. For that objective, MMRLC claims to have already planted 23,846 new trees and additionally distributed 25,000 saplings as part of part of its green initiatives. 
            Can such green initiative replace this mass destruction with the planting of saplings? Even if one is thoroughly to believe in the sincerity of MMRLC's green initiatives, what about the uncertain rain? Let alone the damage caused by excessive rain in the other parts of the country but has Mumbai not suffered enough this year? According to a report of Indiatoday September 16, Mumbai has average rainfall of 2,353 mm per annum but the figure this year reaches to 3,475 mm, breaking the previous highest of 3,452 mm in 1954. Roxy Mathew Koll, climate scientist at the Indian Institute of Meteorology, says that this intense rain is due to rising temperature.        
Geographically Mumbai is rich with coastal line of 149 km and 16 km of beaches but the city has an estimated population of 20,185,064 according to Press Information Bureau, Government of India. The very first rain this year exposed the incapacity of Mumbai Municipal Corporation when the capital was seemed afloat nearby the sea. A significant number of people lost lives in addition to the casualties. It is guaranteed that nobody must have found out the exact number of trees which might have been damaged in this rain.
           Furthermore there is an NGO which has taken an initiative of planting many trees in a small area of land, using Japanese technique 'Miyawaki method' under the project called green yatra. But there is a difference between man made forest and nature made forest. What about the wildlife, whichsoever is left to these already decapitated forests? 
          Will these saplings, say turned into plants next year, be able to survive the thrashing rain?   

Monday, October 07, 2019

હું તને ગમુ છુ, હેને?

 ફોનમાં નઈ તું ફેસ પર કે'ને
 હું તને ગમુ છું, હે ને?
 જો આંખોને તું અનહદ ગમે તો આંખોથી કે'ને
 હું તને ગમુ છું, હે ને?
 વાતમાં બઉ વિશ્વાસ નથી, વર્તનમાં બતાવને
 હું તને ગમુ છું, હે ને?
 ફ્રેન્ડ કે'વા કરતાં ના કઈ દે ને
 પણ હું તને ગમુ છું, હે ને? 
                   

દેશી ઢોલના તાલે

       
 Musical instruments have always expressed man's feeling individually and communally. They vary from culture to culture. These instruments can represent ethos of the society.

Dhol is one of such instrument; it is made of hard, tanned skins of goats. It has wooden body, two open ended rounds over which the skins are covered. It is played with one palm loose and the other palm having a stick. 

ખબર નઈ

ખબર નઈ, તને ગુમાન શેનું છે;
ફટ દઈને તું  મારા ગાલ પર તારો હાથ છાપી દે છે;
ઘરમાં, ગલીમાં, જાહેર સભામાં  ઉતારી પાડે છે.
તારી જીવદયાની વ્યાખ્યામાં હું ઢોર પણ નથી?
 શું ઢોરને કોઈ બાંધીને મારે છે?
 ચોપડે જ હું માણસ મટ્યો,
અને ચોપડે જ માણસ થયો.
ખબર નઈ તું કયા ચોપડાને માને છે કે
નથી માનતો પણ મારતી વખતે ઢોર માર મારે છે.
હું હવે નઈ કહું કે હું માણસ છું,
ખબર નઇ, પણ તું ક્યારે માણસ થઈશ?

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...