Tuesday, November 12, 2019

ખોડીબારું



લુપ્ત થઈ રહેલી ખોડીબારાની સંસ્કૃતિ!

ખોડીબારું એ ગ્રામીણ જીવનનો એક અગત્ય નું અંગ હતું. પહેલાંના સમયમાં ખેડૂતો પાસે તારની વાડ કરવાના પૈસા હતા નહીં અને તેથી જ ખેતરની ફરતે કુદરતી રીતે કાંટાળા ઝાડ ઉગાડવામાં આવતા જેમ કે બાવળ, થોર, વગેરે. આ વાડ એવી રીતે તૈયાર કરવામાં આવતી કે ગામના પશુઓ અથવા નીલગાય, રોઝ વગેરેને અંદર આવતા અટકાવી શકાય.

ખોડીબારુ એ આ કાંટાની વાડમાં અંદર જવાનો દ્વાર છે. ખાસ કરીને સૂકા બાવળના મજબૂત બે લાકડાને 'વી' આકારમાં જમીનની અંદર ખોપવામાં આવે છે. ખોડીબારાની ખાસિયત છે કે તેમાંથી ફક્ત માણસ જ પસાર થઇ શકે છે.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. સંસ્કૃતિને શબ્દોમાં કંડારી લોકોની તે પ્રત્યે જાગૃતિ લાવવાનું
    ઉમદા કાર્ય કરવા બદલ તમને ધન્યવાદ👏

    ReplyDelete
  3. Are vah...have Aa khodibaru bhut kal bani gayu 6.....

    ReplyDelete

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...